HomeNationalછેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ, 7 લોકોનું મોત

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ, 7 લોકોનું મોત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં કોવિડના 1700 નવા કેસ સામે આવ્યા છે અને હવે કુલ સંખ્યા 2700ને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ 30 મે સુધી દેશમાં કુલ 2710 કેસ નોંધાયા છે. તેની સામે, એક અઠવાડિયા પહેલાં માત્ર 752 કેસ હતા. કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

દેશના અલગ-અલગ રાજ્યોની વાત કરીએ તો આ રાજ્યઓમાં નીચે મુજબના કેસ નોંધાયા છે: આંધ્ર પ્રદેશ-16,અરુણાચલ પ્રદેશ- 3, આસામ- 2, ચંડીગઢ- 1, છત્તીસગઢ- 3,દિલ્હી- 294, (મહિલા દર્દીનું મોત), ગોવા- 7, ગુજરાત- 223, હરિયાણા- 20, જમ્મુ-કાશ્મીર- 4, કર્નાટક- 148, કેરળ- 1147, મધ્ય પ્રદેશ- 10, મહારાષ્ટ્ર- 424, મિઝોરમ- 2, ઓડિશા- 5, પુડુચેરી- 35, પંજાબ- 4, રાજસ્થાન- 51, તામિલનાડુ- 148, તેલંગાણા- 3, ઉત્તરાખંડ- 2, ઉત્તર પ્રદેશ- 42 અને પશ્ચિમ બંગાળ- 116.

ભારતમાં કોરોના વાયરસ ચેપનો કહેર ફરી શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19 થી 7 લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2700 થઈ ગઈ છે. કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. અહીં નવા ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1147 પર પહોંચી ગઈ છે. આ આંકડો દેશમાં સૌથી વધુ છે. જ્યારે મહારાષ્ટ્ર 424 કેસ સાથે બીજા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં COVID-19 ના 511 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં 60 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે.

છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મોત
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મોત થયાં છે. દિલ્હીમાં 60 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ પહેલું મૃત્યુ છે. કર્ણાટકમાં 70 વર્ષીય પુરુષનું કોરોનાથી મૃત્યુ થયું. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં પણ 67 વર્ષીય પુરુષને ન્યુમોનિયાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ COVID-19 થી થયું હતું. તમિલનાડુમાં 60 વર્ષીય પુરુષ અને પંજાબમાં 39 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું છે.

Subscribe

Latest stories

spot_img