HomeNationalશેરબજારમાં છેલ્લા એક મહિનામાં 40 લાખ કરોડ ડૂબ્યાં

શેરબજારમાં છેલ્લા એક મહિનામાં 40 લાખ કરોડ ડૂબ્યાં

Date:

Related stories

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ...

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...
spot_img

શેરબજારમાં પૈસા રોકનારાઓનું ટેન્શન પૂરું થવાનું નામ નથી લઇ રહ્યું. સતત ઘટી રહેલા માર્કેટના કારણે રોકાણકારોને મોટું નુક્શાન થયું છે. છેલ્લા એક મહિનામાં માર્કેટમાં વેચાવલી ચાલુ છે. આ સમયગાળા દરમિયાન ઘણા પસંદ કરેલા મિડકેપ-સ્મોલકેપ શેર્સમાં 50% સુધીનો ઘટાડો થયો છે. તે જ સમયે રોકાણકારોને ખુશ કરનારો ડિફેન્સ ઈન્ડેક્સ તેના હાઇથી 26%ર ઘટી ગયો છે. નિફટી મિડકેપ 100માં માત્ર ૧૫ શેરો જ હવે પોઝીટિવ રીટર્ન આપી રહ્યા છે. તેના પર નિષ્ણાંતો કહે છે કે ગભરાવાની જરૂર નથી. ઘટાડા પર સારા શેર ખરીદી શકાય છે. લાંબા ગાળા માટે પોર્ટફોલિયો તૈયાર કરવાની આ યોગ્ય તક છે.

Stock Market Highlights: शेयर बाजार में निचले स्तरों से खरीदारी, सेंसेक्स 255 अंक चढ़ा, निफ्टी भी 26000 के पार | Stock Market LIVE on 25 September Sensex Nifty profit booking GIFT Nifty

1 મહીનામાં રોકાણકારોના 40 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. 27 સપ્ટેમ્બરથી ૨૫ ઓક્ટોબર સુધીમાં BSEનાં માર્કેટ કેપ 4.77 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 4.37 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. MK વેન્ચર્સના ફાઉન્ડર મધુસૂદન કેલા કહે છે કે, છેલ્લા 3-4 વર્ષમાં અમે જબરદસ્ત તેજી જોઈ છે. એટલે માર્કેટમાં પ્રોફિટ બુકિંગની શક્યતા હતી. ત્યાં જ તેવું થઈ રહ્યું છે. આગામી દિવસોમાં વધુ ઘટાડાની શક્યતા નથી. લાંબા સમયમાં ભારતની ગ્રોથ સ્ટોરી યથાવત છે.

ભારતીય બજારમાં ઘટાડો ક્યારે અટકશે- મધુસૂદન કેલા કહે છે કે માર્કેટમાં ભારે ઉછાળા પછી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. એટલા માટે તમારે અત્યારે રોકાણ કરતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. શું ઓક્ટોબર પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ શેરબજાર ઘટશે?- આના જવાબમાં મધુસૂદન કેલા કહે છે કે વિદેશી રોકાણકારો વેચાવલી કરી રહ્યા છે. તેઓ ભારત જેવા ઉભરતા બજારોમાંથી પૈસા ઉપાડી રહ્યા છે અને ચીનમાં રોકાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img