પ્રયાગરાજમાં મૌની અમાસ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સર્જાયેલી નાસભાગમાં 20થી વધુ લોકોના મૃત્યુ થયાની આશંકા છે. તંત્ર દ્વારા હજુ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે.
મહાકુંભમાં મૌની અમાવસ્યા પર તાાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી ગઈ. મંગળવાર-બુધવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે જ્યારે મૌની અમાવસ્થા પર તાાન કરવા માટે અચાનક ભીડ વધવા લાગી. લોકો મુખ્ય સંગમ પર જ તાાન કરવાનો આગ્રહ રાખવા લાગ્યા. પછી અચાનક વધતી ભીડના દબાણને કારણે મેળામાં નાસભાગ મચી ગઈ. ચારે બાજુ ચીસો પડી રહી હતી. નાસભાગ મચી ગઈ. આમાં 20 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. 52થી વધુ ઘાયલ થયા છે. સ્વરૂપ રાની હોસ્પિટલમાં હાજર રિપોર્ટરના જણાવ્યા અનુસાર 20 મળતદેહો પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. જોકે, વહીવટીતંત્રે મળત્યુ કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી ન હતી.
મહાકુંભમાં, મૌની અમાસ પર તાાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આના કારણે દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા હતા. રાત્રે 1 વાગ્યાની આસપાસ સંગમની આસપાસ અચાનક ભીડ વધી ગઈ હતી. મહાકુંભમાં તાાન માટે 45 ઘાટ બનાવવામાં આવ્યા છે. પરંતુ લોકો મુખ્ય સંગમ પર જ તાાન કરવાનો આગ્રહ રાખવા લાગ્યા. જેના કારણે ભીડ એકબીજાને ધક્કો મારતા આગળ વધવા લાગી. જેના કારણે ભીડને કાબૂમાં લેવા માટે મૂકવામાં આવેલા બેરિકેડ તૂટવા લાગ્યા. થોડી વારમાં જ કેટલીકસ્ત્રીઓનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેઓ નીચે પડવા લાગી.
માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે રાતે 1:30 વાગ્યે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. તેમણે કહ્યું કે ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહ્યું છે.
આ પણ વાંચો :-