ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોમાં સ્થિતિ વણસી શકે છે. આવી સ્થિતિમાં, મોદી સરકારે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પહેલ કરી છે. સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઇઝરાયેલમાં રહેતા લગભગ ૨૩૦ ભારતીયો ગુરુવારે રાત્રે ૯ વાગ્યે ‘પહેલા આવો પહેલા સેવા’ના ધોરણે ભારત જવા રવાના થશે.
ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છતા અમારા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરી રહ્યા છીએ. વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. સરકાર વિદેશમાં આપણા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું, અમે ગુરુવારે વિશેષ ફ્લાઇટ દ્વારા આવનારા ભારતીય નાગરિકોની પ્રથમ બેચની સૂચિ ઇ-મેઇલ કરી છે. આગામી ફ્લાઇટ માટે અન્ય લોકોની યાદી ટૂંક સમયમાં મોકલવામાં આવશે. એક અંદાજ મુજબ, હાલમાં લગભગ ૧૮,૦૦૦ ભારતીયો ઈઝરાયેલમાં રહે છે.
ભારતીયને લઈને પહેલું વિશેષ વિમાન ગુરુવારે સાંજે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટથી ઉડાન ભરશે. પહેલા આવો, પહેલા સેવાના ધોરણે લગભગ ૨૩૦ ભારતીયો રાત્રે ૯ વાગ્યે ઇઝરાયેલથી રવાના થશે. તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયાએ ૭ ઓક્ટોબરના રોજ તરત જ તેની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી, જે દિવસે લડાઈ શરૂ થઈ હતી અને તેનું કોમર્શિયલ ઓપરેશન હજુ પણ સ્થગિત છે. પરત ફરનારાઓએ કોઈ ભાડું ચૂકવવું પડશે નહીં. તેમના પરત આવવાનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે.
આ પણ વાંચો :-