નાઈજીરિયામાં આત્મઘાતી હુમલામાં ૧૬ ખેડૂતોના મોત

Share this story

ઉત્તર-મધ્ય નાઈજીરિયામાં થયેલા હુમલામાં ૧૬ લોકો મૃત્યુને ભેટ્યા છે. પશુપાલકો અને ખેડૂતો વચ્ચે અવારનવાર ઝઘડા થવી એ સામાન્ય બાબત છે. કેપ્ટન ઓયા જેમ્સે એએફપીને જણાવ્યું કે,આ હુમલો પઠાર રાજ્યના મુશુ ગામમાં શનિવારે મધ્યરાત્રિની આસપાસ થયો હતો. નાઈજીરિયામાં મોટાભાગે ઉત્તરમાં મુસ્લિમો વસે છે જ્યારે દક્ષિણમાં ખ્રિસ્તી વસે છે. જેની વચ્ચેના વિસ્તારમાં ઘણા વર્ષોથી વંશીય અને ધાર્મિક તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.

રાજ્યના ગવર્નર કાલેબ મુતાફવાંગે તાજેતરના હુમલાની નિંદા કરી, તેને અસંસ્કારી અને ક્રૂર ગણાવ્યો. તેમણે કહ્યું કે ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે. તેમના પ્રવક્તા ગ્યાંગ બેરેએ પત્રકારોને જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિકો પર થઈ રહેલા હુમલાઓને રોકવા માટે સરકાર દ્વારા સક્રિય પગલાં લેવામાં આવશે. જો કે, આ હુમલાનું કારણ શું હતું અને કોણ જવાબદાર હતું તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. વધુ અથડામણ ન થાય તે માટે સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-