Sunday, Dec 14, 2025

વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

1 Min Read

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ. જયશંકરે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જયશંકર UKના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

એસ જયશંકરની મુલાકાત બાદ ખબર પડી કે UKના વડા પ્રધાન ઋષિ સુનક પણ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ફેન છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વિરાટ કોહલીનું બેટ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું, જેના પર ક્રિકેટરની સહી પણ હતી.

આ પણ વાંચો :-

Share This Article