Thursday, Oct 23, 2025

નફો ઘટ્યા બાદ Nokia ૧૪,૦૦૦ નોકરીઓ કપશે, મંદીના સંકેત

1 Min Read

એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ૨૦૨૨થી જ દુનિયાભરમાં મંદી નું સંકટ જોવા મળી રહ્યું છે. જોકે હવે તેની અસર દિગ્ગજ કંપનીઓ પર થઈ રહી છે અને તેના પગલે મોટાપાયે છટણીનો માહોલ સર્જાયો છે.

કર્મચારીઓની છટણી કરવાની યાદીમાં દુનિયાની સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ થી લઈને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સૌથી આગળ રહી છે. જોકે હવે આ યાદીમાં વધુ એક મોટું નામ નોકિયા નું ઉમેરાઈ ગયું છે. નોકિયાએ તેના ૧૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.

ફિનિશ ટેલીકોમ ગિયર ગ્રૂપ નોકિયા એ કહ્યું કે ઉત્તર અમેરિકા જેવા બજારોમાં ૫G ડિવાઈસના ધીમા વેચાણને લીધે ત્રીજા ત્રિમાસિકમાં સેલ્સમાં મોટો ઘટાડો થયો છે. વેચાણમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન હેઠળ ૧૪,૦૦૦ નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આ છટણીની સાથે જ  કંપનીના વર્તમાન કર્મચારીઓની સંખ્યા ૮૬,૦૦૦થી ઘટીને 72,000  થઈ જશે.

આ પણ વાંચો :-

Share This Article