હિઝબુલ્લાહ વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરનાર ઈઝરાયેલે સોમવારે સવારે લેબનોનની રાજધાની બેરુતમાં પહેલીવાર આતંક મચાવ્યો હતો. અહીં ઇઝરાયેલની સેના IDFએ શહેરની ઇમારતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોતના અહેવાલ છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ PFLP કહે છે કે હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા હતા. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા સંઘર્ષમાં આ પ્રથમ વખત છે જયારે ઇઝરાયલે લેબનીઝ રાજધાની બેરૂતમાં ઘૂસીને રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો છે.
હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહના મોત બાદ પણ લેબનોનમાં ઈઝરાયેલનો કહેર અટકી રહ્યો નથી. રવિવારે પણ ઇઝરાયેલે સમગ્ર લેબનોનમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો. જેમાં ૧૦૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં ૩૫૯ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મૃત્યુ. ૪૮, આઈન અલ-ડેલ્બ અને ટાયર વિસ્તારોમાં થયા છે.
મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં કાના હોસ્પિટલને ભારે નુકસાન થયું છે. આ સિવાય બેકા ઘાટીમાં બાલબેક-હરમેલમાં ઈઝરાયેલના હુમલામાં ૩૩ લોકો માર્યા ગયા અને ૯૭ લોકો ઘાયલ થયા. ઇઝરાયેલે લેબનોનના કોલા વિસ્તારમાં પહેલીવાર જોરદાર બોમ્બમારો કર્યો. લેબનીઝ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ
ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલ આ હવાઈ હુમલો બેરૂતના કોલા જિલ્લામાં એક એપાર્ટમેન્ટના ઉપરના માળે કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈનએ કહ્યું કે કોલા જિલ્લામાં ઈઝરાયેલના હુમલામાં તેના ત્રાણ નેતાઓ માર્યા ગયા. અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં અન્ય આતંકવાદી સંગઠન અલ-જમા અલ-ઈસ્લામીથા (ઈસ્લામિક જૂથ)ના નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે સંગઠને આ વાતને નકારી કાઢી છે. રવિવારે ઈઝરાયેલના હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા છેલ્લા ઘણા દિવસોથી લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઈઝરાયેલના હુમલાઓ ચાલુ છે. મીડિયા રિપોટ્સ અનુસાર, લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલથે કહ્યું કે રવિવારે થયેલા હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૩૫૯ લોકો ઘાયલ થયા છે. રવિવારે, ઇઝરાયેલે યુદ્ધનો બીજો મોરચો ખોલ્યો અને થમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવ્યા.
આ પણ વાંચો :-