બેંક તમારી પાસે કેન્સલ ચેકની કેમ કરે છે માંગ ? શું આ ચેક આપવાથી થાય છે કોઈ નુકસાન ?

Share this story

Why does the bank ask you for a canceled check?

  • Cancelled Cheque Rules તમારે સમય સમય પર ચેક રદ કરવાની જરૂર પડી શકે છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકો પાસેથી તેની માંગણી કરવામાં આવે છે. તે આપતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

કોઈપણ નાણાકીય ઉત્પાદન (financial product) ખરીદતી વખતે બેંક દ્વારા અમુક સમયે અથવા ક્યારેક ને ક્યારેક કેન્સલ ચેક જરૂર માંગવામાં આવ્યો હશે અને તમે સરળતાથી ક્રોસ બેંકને (Cross Bank) ચેક આપ્યો હશે. આવી સ્થિતિમાં તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે બેંકો તમારી પાસેથી રદ કરાયેલા ચેક કેમ માંગે છે. ચાલો જાણીએ ?

કેન્સલ ચેક શું છે?

જ્યારે પણ આપણે કોઈ બેંક સાથે ડિલ કરીએ છીએ તો ફાઈનેંશિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની અથવા બેંક આપણી પાસે કેન્સલ ચેક માંગે છે. પછી આપણે એ ચેક પર બે લાઈન ક્રોસ કરીએ છીએ અને તેના પર કેન્સલ લખી દઈએ છીએ.

બેંક કેન્સલ ચેક કેમ માંગે છે?

બેંકો અને નાણાકીય કંપનીઓ ગ્રાહકની વિગતો ચકાસવા માટે કેન્સલ ચેકની માંગણી કરે છે. કારણ કે ચેક પર ગ્રાહકની સંપૂર્ણ માહિતી હોય છે. જેમ કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, આખું નામ અને હસ્તાક્ષર. આ માહિતીથી બેંકો માટે ગ્રાહકની વિગતોની ચકાસણી કરવાનું સરળ બને છે.

શું કેન્સલ ચેક વડે પૈસા ઉપાડી શકાય?

તેના પર કેન્સલ લખેલું છે. તેથી રદ કરાયેલા ચેકની મદદથી તમારા ખાતામાંથી કોઈ રકમ ઉપાડી શકાતી નથી. જો કે તમારે ચેક પર ક્રોસ માર્ક યોગ્ય રીતે બનાવવા માટે આનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. હંમેશા કેન્સલ ચેક માટે બ્લૂ અને બ્લેક શાહી પેનનો ઉપયોગ કરવો જોઈએ.

ચેક રદ કરતા સમયે શું ધ્યાન રાખવું :

ચેકને યોગ્ય રીતે ક્રોસ માર્ક કરવા માટે તમારે ખૂબ કાળજી રાખવી પડશે. રદ કરાયેલા ચેક માટે હંમેશા વાદળી અને કાળી શાહીની પેનનો ઉપયોગ કરો. રદ કરાયેલા ચેકથી તમારા ખાતામાંથી કોઈ રકમ ઉપાડી શકાતી નથી.

આ પણ વાંચો :-