હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે, કારણ કે આ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શ્રાવણ મહિનો સૌથી પ્રિય છે. આ મહિનામાં જલાભિષેક, દૂધ અભિષેક અને બેલપત્ર, ધતુરા વગેરે ભગવાન શિવને અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે.

આ સાથે સુખ, સમૃદ્ધિ અને ઈચ્છિત પરિણામ મેળવવા માટે આશીર્વાદ આપવામાં આવે છે. આ સાથે જ શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારનું પણ આગવું મહત્વ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પૂર્ણ ૫ શ્રાવણ સોમવાર આવી રહ્યા છે. ચાલો જાણીએ કે પહેલો શ્રાવણ સોમવાર ક્યારે છે.
ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત બે અલગ-અલગ દિવસે થાય છે ઉત્તર ભારતમાં ગુજરાતી કેલેન્ડર કરતા ૧૫ દિવસ પહેલા શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ૨૨ જુલાઈથી શરૂ થશે અને ૧૯ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે.
શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ક્યારે?
- પ્રથમ સોમવાર – ૫ ઓગસ્ટ
- બીજો સોમવાર -૧૨ ઓગસ્ટ
- ત્રીજો સોમવાર – ૧૯ ઓગસ્ટ
- ચોથો સોમવાર – ૨૬ ઓગસ્ટ
- પાંચમો સોમવાર – ૨ સપ્ટેમ્બર
શ્રાવણ માસમાં આવતા સોમવારનું વિશેષ મહત્વ છે. શવનના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ભગવાન શિવની પૂજા કરવાથી કુંડળીના દરેક દોષથી મુક્તિ મળે છે. તેનાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો :-