Monday, Dec 29, 2025

“મુસ્લિમોને ડરાવનારાને છોડીશું નહીં”, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીનું મોટું નિવેદન

2 Min Read

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતે આયોજિત ઈફ્તાર પાર્ટીમાં મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું છે. અજિત પવારે કહ્યું છે કે ભારત વિવિધતામાં એકતાનું પ્રતિક છે. આપણે કોઈપણ વિભાજનકારી શક્તિઓની જાળમાં ન પડવું જોઈએ. આપણે હમણાં જ હોળી ઉજવી છે, ગુડી પડવો અને ઈદ આવવાની છે, આપણે આ બધા તહેવારો સાથે મળીને ઉજવવાના છે કારણ કે એકતા જ આપણી ખરી તાકાત છે.

NCP નેતા અજિત પવારે વધુમાં કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે તમારા ભાઈ અજિત પવાર તમારી સાથે છે, જે કોઈ અમારા મુસ્લિમ ભાઈ-બહેનો પર આંખ બતાવશે, જો કોઈ બે જૂથો વચ્ચે લડાઈ કરીને શાંતિને ખલેલ પહોંચાડે છે અને કાયદો પોતાના હાથમાં લે છે, તો પછી તે કોઈ પણ હોય, તેને બક્ષવામાં આવશે નહીં, તેને માફ કરવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો અજીત પવારે રમઝાન નિમિત્તે મુંબઈમાં મરીન લાઈન્સ ખાતે આયોજિત ઈફ્તાર પાર્ટી દરમિયાન કહ્યું કે ‘ભારત વિવિધતામાં એકતાનું સમર્થન કરે છે. આપણે કોઈપણ વિભાજનકારી શક્તિઓની વાતોમાં આવવું ના જોઈએ.’ વધુમાં કહ્યું કે, અમે હોળી બનાવી, ગુડી પડવો અને ઈદ આવી રહી છે. આ દરેક તહેવાર આપણને હળીમળીને રહેતા શિખવાડે છે. આપણે બધાએ આ તહેવાર સાથે મળીને મનાવવા જોઈએ, કારણ કે, તે આપણી અસલી તાકાત છે. હું તમને આશ્વાસ્ત કરું છે કે તમારો ભાઈ તમારી સાથે જ છે.

ઈફ્તાર પાર્ટી દરમિયાન અજીત પવારે ભારતની એક્તાની વાત કરી હતી અને જ પણ લોકોમાં ધર્મના નામે વિખવાદ પાડી રહ્યાં છે તેમને ચેવતણી આપી હતી. મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન વિશે અજીત પવારે કહ્યું કે, રમઝાન માત્ર એક ધર્મ સુધી જ સિમિત નથી તે માનવતા, ત્યાગ અને આત્મ અનુશાસનનું પ્રતિક છે. આ મહિનો ગરીબ અને જરૂરિયામંદ લોકોની મદદ કરવા માટે પ્રેરણા આપે છે અને ના માત્ર શરીર પરંતુ આ મહિનામાં આત્માની પણ શુદ્ધી થાય છે.

Share This Article