સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા બનાવવામાં આવેલી દીવાલ સામે આખરે કાર્યવાહી કરવામાં આવી છે. રોડને નડતરરૂપ બનેલી અને પાર્કિંગ માટે ઉભી કરવામાં આવેલી આ દીવાલનું ડિમોલિશન કરીને રોડ ફરી ખુલ્લો કરવામાં આવ્યો. ફેરિયાઓના દબાણની આડમાં પાંચ વર્ષ પહેલાં આ દીવાલ તાણી બનાવવામાં આવી હતી, જે લાંબા સમયથી સ્થાનિકોને મુશ્કેલી પોંહચાડતી હતી. હવે આ દીવાલ દૂર થતા વાહન વ્યવહાર સરળ બન્યો છે.
