અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાવાની છે. આ પહેલા વિરાટ કોહલીને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. વિરાટ કોહલીને ધમકી મળ્યા બાદ RCBએ પ્રેક્ટિસ સેશન અને પ્રી-મેચ કોન્ફરન્સ રદ કરી નાખી છે.
બુધવારે સાંજે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પહેલા RCBએ પ્રેક્ટિસ સેશન રદ્દ કરી દીધું હતું. આ સાથે બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ પણ રદ્દ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત પોલીસે ૪ લોકોની ધરપકડ કરી છે. પોલીસને તેઓ આતંકવાદી હોવાની શંકા છે. કોહલી પર ખતરાની છાયા છવાઈ રહી છે. કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ રદ કરવામાં આવી હતી.
મહત્વ પૂર્ણ છે કે IPLની એલિમિનેટર મેચ આજે ૨૨ મેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પ્લે ઓફની આ મહત્વ પૂર્ણ મેચ પહેલા RCBએ મેદાનમાં પ્રેક્ટિસ કરવાની હતી પરંતુ આ ધમકી મળ્યા બાદ ટીમે કોઇ કારણ વગર સ્ટેડિયમમાં પોતાના પ્રેક્ટિસ સેશનને રદ કરી નાખ્યો છે. આ ઉપરાંત વિરાટને મળલી ધમકીને લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.જોકે, મેદાન પર રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. આ સિવાય આ ધમકી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચ પહેલા આયોજિત પ્રી-મેચ કોન્ફરન્સને પણ રદ કરી નાખી છે.
જો આ સિઝનમાં આરસીબીના પ્રદર્શન પર નજર કરીએ તો, ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આરસીબીએ ૧૪ મેચ રમી અને ૭માં જીત મેળવી. તેણે છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. RCBને બે મેચ રમ્યા બાદ સતત છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી તેણે શાનદાર વાપસી કરી હતી. રાજસ્થાનની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. તેણે ૧૪ મેચ રમી અને 8માં જીત મેળવી. રાજસ્થાનને ૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તે એલિમિનેટરમાં RCB સામે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો :-