જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી બાદ શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ત્રણ દિવસ માટે કામચલાઉ રીતે સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 72 કલાક માટે ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે. યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને શ્રાઈન બોર્ડે આ નિર્ણય લીધો છે.
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે, “ભારતીય હવામાન વિભાગની ગંભીર ચેતવણીને કારણે વૈષ્ણોદેવી યાત્રા 5 થી 7 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે. યાત્રા બુધવારથી ફરી શરૂ કરવામાં આવશે.”
હવામાન સામાન્ય ન થાય ત્યાં યાત્રા સ્થગિત રાખવા અપીલ
આ ઉપરાંત ભારે વરસાદ બાદ કટરાથી ભવન સુધીના યાત્રા માર્ગ પર ભૂસ્ખલનની શક્યતાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. શ્રાઈન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે આગામી 72 કલાક માટે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે.