મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં કાંવડને લઈ જતી એક ટ્રકે રોડ કિનારે 14 કાંવડિયાંને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે કાંવડિયાંના મોત થયા છે અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથે જ પાંચ કાંવડિયાંને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે. તમામ કાંવડિયાંઓ સૌરોનથી મુરેનાના સિહોનીયા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી રોષે ભરાયેલા કાંવડિયાંઓએ હાઈવે બ્લોક કરી દીધો છે.
વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો જે બાદ કાંવડિયાંઓએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જામ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભયાનક અકસ્માત બાદ મૃતકો અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કાંવડિયાં મુરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી છે.
તમને જણાવી દઈએ કે આજે સાવનનો બીજો સોમવાર છે. દેશભરના લાખો કાવડિયાઓ વિવિધ માર્ગો દ્વારા શિવ મંદિરોમાં જળ લઈ જઈ રહ્યા છે અને તેમના આરાધ્ય ભગવાન શિવનો જલાભિષેક કરી રહ્યા છે.
આ પણ વાંચો :-