Thursday, Oct 30, 2025

કટરાથી રિયાસી રૂટ સુધી ટ્રેનની ટ્રાયલ થઇ, જાણો રેલ્વે મંત્રીએ શું કહ્યું ?

2 Min Read

કાશ્મીરને રેલ દ્વારા દેશ સાથે જોડવાનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. આને લઈને કટરાથી રિયાસી સુધી બની રહેલા માર્ગ પર જે છેલ્લી T-33 ટનલનું કામ બાકી હતું, એ પૂર્ણ થઈ ગયું છે. આ કામ પૂર્ણ થયા પછી પહેલીવાર કટરાથી રિયાસી રૂટ સુધી ટ્રેન એન્જિન અને માલગાડીનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું.

T-33 ટનલ પૂર્ણ થયા પછી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું, “ટનલ નંબર 1 અને અંજી ખડ્ડ કેબલ બ્રિજ પરથી પસાર થતું પહેલું ઇલેક્ટ્રિક એન્જિન.”

અગાઉ, વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ, ચિનાબ રેલવે બ્રિજનું કામ પૂર્ણ થયા પછી, ત્યાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ સંગ્લદાનથી રિયાસી સુધી થયું હતું, જેમાં એક ટ્રેન પણ દોડાવવામાં આવી હતી, પરંતુ T-33 ટનલના નિર્માણમાં મુશ્કેલીઓના કારણે ટ્રેન કટરાથી રિયાસી સુધી જઈ શકી ન હતી. હવે તેનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે.

આ રેલનો રૂટ જમ્મુથી કટરા પછી કટરાથી રિયાસી, રિયાસીથી સાંગલાદન અને સાંગલાદનથી બારામુલ્લા સુધી હશે. હાલમાં રેલ સાંગલાદાનથી બારામુલ્લા સુધી ચાલે છે અને જમ્મુથી કટરા છેલ્લું સ્ટેશન છે. અત્યાર સુધી કટરાથી રિયાસી, રિયાસીથી સાંગલાદાન સુધી કોઈ રેલની મુસાફરી નથી અને કાશ્મીરમાર્ગ દ્વારા દેશને રેલ દ્વારા જોડવામાં આ મુસાફરી સૌથી મહત્વપૂર્ણ છે.

હવે ચિનાબ બ્રિજ અને T-33 ટનલ નું કામ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ દેશભરના લોકો રેલમાં બેસીને કાશ્મીરની ખીણની મજા માણી શકશે. T-33 ટનલ પૂર્ણ થયા બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કર્યું, ટનલ નંબર 1 અને અંજી ખાડ કેબલ બ્રિજ પરથી પસાર થતો પહેલો ઇલેક્ટ્રિક લોકોમોટિવ તકનીક અપનાવી છે.

આ પણ વાંચો :-

Share This Article