HomeNationalઆવકવેરા વિભાગે અત્યાર સુધીમાં ૧૧૦૦ કરોડની રોકડ-જ્વેલરી કરી જપ્ત

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં ૧૧૦૦ કરોડની રોકડ-જ્વેલરી કરી જપ્ત

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

લોકસભાની ચૂંટણીના છ તબક્કા પછી સાતમા તબક્કાનું આવતીકાલે મતદાન હાથ ધરવામાં આવશે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સમગ્ર દેશમાંથી ૧,૧૦૦ કરોડ રુપિયાની રોકડ-જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.

income-tax-seized-rs-1100-crore-cash-and-jewellery-during-electionઆવકવેરા વિભાગે દેશભરમાં અલગ-અલગ જગ્યાએથી ૧૧૦૦ કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા છે. હજુ ઓપરેશન ચાલુ હોવાથી આ આંકડો હજુ વધી શકે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૯૦ કરોડ રૂપિયાની રોકડ અને ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા હતા. આ લોકસભા ચૂંટણીમાં ગેરકાયદે રોકડ અને ઘરેણાં જપ્ત કરવાના કેસમાં ૧૮૨ ટકાનો વધારો થયો છે.

આવકવેરા વિભાગની કાર્યવાહીમાં આ વર્ષની ચૂંટણીમાં કુલ રિકવરીમાં ૧૮૨ ટકાનો વધારો થયો છે. સૌથી વધુ રિકવરી દિલ્હી અને કર્ણાટકમાંથી કરવામાં આવી હતી. દરેક રાજ્યમાંથી લગભગ ૨૦૦ કરોડથી વધુની રોકડ રકમ સહિત જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. બીજા ક્રમે તમિલનાડુ ૧૫૦ કરોડની રોકડ-જ્વલેરી રિકવર કરી છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા અને ઓડિશામાં સામૂહિક રીતે ૧૦૦ કરોડ રુપિયાની રોકડ-જ્વેલરી જપ્ત કર્યાં છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img