Thursday, Feb 19, 2026

ભારતનું ચૂંટણી પંચ દ્વારા 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન

3 Min Read

ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોમાં 37 ખાલી રાજ્યસભા બેઠકો માટે રાજ્યસભા ચૂંટણીઓની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ, 2026 છે અને તે જ દિવસે મતગણતરી થશે. મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ખાલી રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો એપ્રિલમાં અલગ અલગ તારીખે ખાલી થશે. રાજ્યસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, પરંતુ એક તૃતીયાંશ બેઠકો માટે દર બે વર્ષે દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાય છે. સૌથી અગત્યનું, લોકસભાથી વિપરીત, રાજ્યસભા ક્યારેય વિસર્જન થતી નથી, તેથી જ તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે.

રાજ્યસભા ચૂંટણી માટે સંપૂર્ણ શિડ્યૂલ

  • રાજ્યસભા ચૂંટણી માટેનું જાહેરનામું 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ બહાર પાડવામાં આવશે.
  • નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ, 2026 છે.
  • નોમિનેશનની ચકાસણી 6 માર્ચે થશે, જ્યારે નોમિનેશન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 9 માર્ચ, 2026 છે.
  • રાજ્યસભા ચૂંટણી માટે મતદાન 16 માર્ચ, 2026 ના રોજ સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી થશે.
  • મત ગણતરી તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે શરૂ થશે.
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 20 માર્ચ, 2026 છે.

કયા રાજ્યોમાં બેઠકો ખાલી છે?

  • મહારાષ્ટ્ર: 7 બેઠકો
  • ઓડિશા: 4 બેઠકો
  • તમિલનાડુ: 6 બેઠકો
  • પશ્ચિમ બંગાળ: 5 બેઠકો
  • આસામ: 3 સીટો
  • બિહાર: 5 સીટો
  • છત્તીસગઢઃ 2 સીટો
  • હિમાચલ: 1
  • તેલંગાણા: 2
  • હરિયાણા: 2

મહારાષ્ટ્રમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?

  • ડો.ભગવત કિશનરાવ કરાડ
  • ડૉ.(શ્રીમતી) ફૌઝિયા તહસીન અહેમદ ખાન
  • પ્રિયંકા વિક્રમ ચતુર્વેદી
  • શરદચંદ્ર ગોવિંદરાવ પવાર
  • ધૈર્યશીલ મોહન પાટીલ
  • રજની અશોકરાવ પાટીલ
  • રામદાસ બંધુ આઠવલે

ઓડિશામાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?

  • મમતા મોહંતા
  • મુજીબુલ્લા ખાન
  • સુજીત કુમાર
  • નિરંજન બિશી

તમિલનાડુમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?

  • એન.આર. એલાન્ગો
  • પી. સેલવારસુ
  • એમ. થમ્બીદુરાઈ
  • તિરુચી શિવ
  • ડો. કનિમોઝી એન.વી.એન. સોમુ
  • જી.કે. વાસન

પશ્ચિમ બંગાળમાંથી કોણ નિવૃત્ત થશે?

  • સાકેત ગોખલે
  • ઋતબ્રત બેનર્જી
  • વિકાસ રંજન ભટ્ટાચાર્ય
  • મૌસમ નૂર
  • સુબ્રત બક્ષી

આસામમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?

  • રામેશ્વર તેલી
  • ભુવનેશ્વર કલિતા
  • અજીત કુમાર ભુયા

બિહારમાંથી રાજ્યસભામાંથી કોણ નિવૃત્ત થશે?

  • અમરેન્દ્ર ધારી સિંહ
  • પ્રેમચંદ ગુપ્તા
  • રામનાથ ઠાકુર
  • ઉપેન્દ્ર કુશવાહા
  • હરિવંશ નારાયણ સિંહ

છત્તીસગઢમાંથી કોણ નિવૃત્ત થશે?

  • કવિ તેજપાલ સિંહ તુલસી
  • ફૂલો દેવી નેતામ

હરિયાણામાંથી કોણ નિવૃત્ત થશે?

  • કિરણ ચૌધરી
  • રામચંદર જાંગરા

હિમાચલ પ્રદેશમાંથી કોણ નિવૃત્ત થશે?

  • ઈન્દુ બાલા ગોસ્વામી

તેલંગાણામાંથી કોણ નિવૃત્ત થશે?

  • ડૉ. અભિષેક મનુ સિંઘવી
  • કે.આર. સુરેશ રેડ્ડી
Share This Article