રશિયાના દાગેસ્તાન ક્ષેત્રના બે શહેરોમાં રવિવારે મોટો આતંકવાદી હુમલો થયો, જેમાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા અને ૨૫ ઘાયલ થયા. રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે તેણે આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાઓ લગભગ ફક્ત ચર્ચો, પૂજા સ્થાનો અને ડર્બેન્ટ અને મખાચકલા શહેરોમાં પોલીસ ચોકીઓ પર થયા હતા.
પ્રાપ્ત પ્રારંભિક માહિતી અનુસાર આતંકવાદીઓએ દાગેસ્તાન અને મખાચકલામાં બે ચર્ચ અને પ્રાર્થના ગૃહને નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓએ હજુ પણ ૪૦થી વધુ લોકોને બંધક બનાવ્યા છે અને તેમને છોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં, રશિયન નેશનલ ગાર્ડે ચાર્જ સંભાળી લીધો છે અને આતંકવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એવા ઈનપુટ પણ મળ્યા છે કે કેટલાક આતંકવાદીઓ નજીકના મકાનમાં છુપાયેલા છે, તેથી સુરક્ષા દળોએ ત્યાં પણ તેમની તૈનાતી વધારી દીધી છે.
અત્યારે સમજવા જેવી વાત એ છે કે પ્રાર્થના ગૃહ અને ચર્ચ જ્યાં હુમલો થયો હતો તે બંને મુસ્લિમ બહુલ શહેર ડર્બેટમાં આવેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભીષણ ગોળીબાર બાદ પ્રાર્થના ગૃહમાં આગ લાગી હતી. આ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી, એ વાત ચોક્કસ છે કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
આ પણ વાંચો :-