પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં એક મોટો વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. આ વિસ્ફોટમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદીનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ આફ્રિદીના ઘરમાં ગેસ લીકેજને કારણે થયો હતો. આમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી શુક્રવારે અબ્બાસ ખાન આફ્રિદીનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાન પોલીસે આ માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગુરુવારે થયો હતો. આ અકસ્માતમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ભૂતપૂર્વ સાંસદ અબ્બાસ આફ્રિદી સહિત ત્રણ લોકો દાઝી ગયા હતા.
અહેવાલો અનુસાર, ગેસ લીકેજને કારણે અબ્બાસ ખાન આફ્રિદીના નિવાસસ્થાનમાં ગુરુવારે (પાંચમી જૂન) ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘરના એક ભાગમાં આગ લાગી હતી અને અબ્બાસ ખાન આફ્રિદી સહીત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ અબ્બાસ ખાન આફ્રિદીની હાલત અત્યંત નાજુક હતી. ડોકટરોના અથાક પ્રયાસો છતાં શુક્રવારે (છઠ્ઠી જૂન) સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આફ્રિદી કોણ હતો?
આફ્રિદી માત્ર ભૂતપૂર્વ સાંસદ અને સંઘીય મંત્રી જ નહોતા, પરંતુ તેમને પાકિસ્તાનના રાજકારણમાં એક અગ્રણી ચહેરો પણ માનવામાં આવતો હતો. તેઓ સેનેટર પણ રહી ચૂક્યા હતા અને ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં તેમનો રાજકીય પ્રભાવ અનુભવાતો હતો. અબ્બાસ આફ્રિદીએ 2024 માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને પીએમએલ-એન પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું. જોકે, તેમણે એક સામાજિક કાર્યકર અને રાજકીય સલાહકાર તરીકે યોગદાન આપવાનું ચાલુ રાખ્યું. તેમના નિધનથી પ્રાદેશિક રાજકારણને મોટો ફટકો પડ્યો છે.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં, તે ગેસ લીકેજનો મામલો લાગે છે, પરંતુ વિસ્ફોટનું ચોક્કસ કારણ અને બેદરકારીની શક્યતાની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને રાજકીય સાથીઓએ આફ્રિદીને શ્રદ્ધાંજલિ આપી છે, તેમના મૃત્યુને એક અપૂર્ણ નુકસાન ગણાવ્યું છે. સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ કોહાટ ક્ષેત્રમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.