HomeSurat Cityએર ઇન્ડિયા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સુરતના અકિલભાઈનો પરિવાર હતો સવાર

એર ઇન્ડિયા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સુરતના અકિલભાઈનો પરિવાર હતો સવાર

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

અમદાવાદમાં થયેલી દુખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં સુરતના રહેવાસી અકિલ પઠાણ અને તેમનો પરિવાર આ પ્લેનમાં લંડન જઈ રહ્યો હતો. લંડન નિવાસી 34 વર્ષીય અકિલ પઠાણ તેમના પત્ની હાનાબેન (32) અને પુત્રી સારા (6) સાથે બકરી ઈદની ઉજવણી માટે ગયા શુક્રવારે સુરત આવ્યા હતા.

સુરતના રામપુરા વિસ્તારમાં આવેલી મનારેસિડેન્સી ખાતે રહેતા અકિલના પિતા અબ્દુલા નાનાબાવા સાથે તેઓએ બકરી ઈદ ઉજવી હતી. ઈદ બાદ તેઓ લંડન પરત ફરવા અમદાવાદથી ફ્લાઇટ પકડવા નીકળ્યા હતા, ત્યારે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં આખો પરિવાર સવાર હતો.

અકીલનો જન્મ લંડનમાં થયો હતો અને તેઓ ત્યાં જ વ્યવસાય કરતા હતા. ભારતીય મૂળ હોવા છતાં તેઓ દર વર્ષે ઈદ જેવી ખાસ તહેવાર માટે ભારત આવતાં.

Subscribe

Latest stories

spot_img