ટોરેન્ટ પાવર કંપની દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાની જાળવણી અને સમારકામના કામ માટે વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે. 18 થી 23 ઓગસ્ટ, 2025 દરમિયાન સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ સબસ્ટેશનોમાં નેટવર્ક જાળવણીનું કામ હાથ ધરાશે.
વીજ કાપનો ટાઈમ
- 18 ઓગસ્ટ, સોમવાર : મોહન બાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નં. 2, ઉત્તમ શ્રીનિવાસ (સુમુલ ડેરી)
- 19 ઓગસ્ટ, મંગળવાર : સુમન દેસાઈ વાડી ઇન્ડસ્ટ્રીયલ, કે.જી. જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ નં. 30, ગણપતિ પ્લાઝા (કતારગામ), કુબેરજી ટેક્સટાઈલ (એ-સ્ટેશન પાસે)
- 20 ઓગસ્ટ, બુધવાર : રમણ પાર્ક (કતારગામ), એપીએમસી માર્કેટ નં. 2 (પી.કે. રોડ), રિધમ પ્લાઝા (ભાગળ)
- 21 ઓગસ્ટ, ગુરુવાર : પ્રજાપતિ (સંતોષીનગર), ધર્મિષ્ઠા પાર્ક (વરાછા)
- 22 ઓગસ્ટ, શુક્રવાર : ગણેશ કોલોની ઇન્ડસ્ટ્રીયલ (વરાછા), જવાહર (ઉમરવાડા), ભોજલારામ (એ.કે. રોડ)
- 23 ઓગસ્ટ, શનિવાર : યમુના નગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નં. 1-11
ટોરેન્ટ પાવરના જણાવ્યા મુજબ, આ કામગીરી વીજળીના નેટવર્કને વધુ મજબૂત અને સ્થિર બનાવવા માટે જરૂરી છે. ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.