Thursday, Mar 5, 2026

સુરત SOGએ પાંડેસરામાં શંકાસ્પદ 1400 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો

1 Min Read

સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 1400 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. 3.08 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા. પામોલીન તેલ અને એસિડિક એસીડના જોખમી મિશ્રણથી નકલી પનીર બનાવી બજારમાં વહેતું કરનાર મહેશકુમાર શર્મા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે પાંડેસરામાં રેડ પાડીને કુલ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 3.08 લાખ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા અને નકલી પનીર બનાવવા માટે વપરાતી રૂપિયા 25 લાખની હાઈટેક મશીનરી મળી આવી છે. પોલીસે કુલ રૂપિયા 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં માંથી પનીર બનાવવા માટેની પેસચરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જે તમામ 25 લાખનો મુદ્દા માલ સીઝ કરાયો છે. કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ મળી આવ્યા છે. 3000 જેટલા સ્ટીકર જપ્ત કરાયા, પામોલીન તેલના 28 ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે.

Share This Article