દિવાળીના સપરમા તહેવારોમાં જ સુરતથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે અને સુરતના હીરાના વેપારીઓની દિવાળી બગડી છે. મળી રહેલા સમાચાર મુજબ બેલ્જિયમની હીરા પેઢીનું ઉઠમણું થતાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ મચી ગયો છે.
બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમના બેન્કોના નાણાં ફસાતા ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ યુદ્ધ અને મંદીનો માહોલ છે અને તેની વચ્ચે ઉઠમણું થતાં વેપારીઓની ચિંતા વધી ગઇ છે. ઉઠમણું કરનાર મૂળ સૌરાષ્ટ્રનો હીરા વેપારી હોવાનું જાણવા મળે છે. તેઓ બેલ્જિયમમાં 30 વર્ષથી ટ્રેડિંગ-ફાઈનાન્સનો બિઝનેસ કરતા હતા. બેલ્જિયમમાં 30 વર્ષથી ડાયમંડ ટ્રેડિંગ અને ફાઈનાન્સનો વેપાર કરતી પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા ખળભળાટ મચ્યો છે.
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે અનેક હીરા પેઢીઓના ઉઠમણાં થયા હતા .હવે બેલ્જિયમમાં ડાયમંડ પેઢીએ 142 કરોડ રૂપિયામાં નાદારી નોંધાવી હતી. મૂળ સૌરાષ્ટ્રના અને પાટીદાર વેપારી છેલ્લાં 30 વર્ષથી બેલ્જિયમમાં ડાયમંડ ટ્રેડિંગ ઉપરાંત ફાઈનાન્સનો પણ વેપાર કરતા હતા. ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે આ પેઢી કાચી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો :-