HomeNationalધાર ભોજશાલા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ASIને માળખાકીય ફેરફાર પર રોક

ધાર ભોજશાલા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ASIને માળખાકીય ફેરફાર પર રોક

Date:

Related stories

ઉદ્યોગપતિ અને દાતા મહેન્દ્રભાઈ કતારગામવાળાનું નિધનથી સુરત શોકાતુર

મહેન્દ્રભાઈ નાથુભાઈ કતારગામવાળા સુરતના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને દાતાશ્રી...

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર: મળશે ₹1.50 લાખ સુધીની સ્કોલરશિપ, જાણો કોણ કરી શકશે અરજી

ગુજરાતમાં ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે...
spot_img

ધારની ઐતિહાસિક ભોજશાલા મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ભોજશાલા પરિસરમાં કોઈ પણ પ્રકારના માળખાકીય ફેરફાર (Structural Changes) કરવામાં નહીં આવે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ મોહનાની બેન્ચે સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે નમાજ માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જ્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા લંડન મ્યુઝિયમમાંથી વાગ્દેવી (સરસ્વતી)ની મૂર્તિ પરત લાવવાના આદેશ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

મુસ્લિમ પક્ષની અરજી પર તમામ પક્ષોને નોટિસ
સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ધ્યાનમાં લઈ હિંદુ પક્ષ, રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર (DM) અને ASIને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભોજશાલા પરિસરમાં શુક્રવારની નમાજ પરનો પ્રતિબંધ હાલ યથાવત રહેશે. સાથે જ હાઈકોર્ટના ચુકાદા પર તાત્કાલિક સ્ટે આપવાનો ઈનકાર કરતા સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું કે દર શુક્રવારે બપોરે 1થી 3 વાગ્યા દરમિયાન ભોજશાલાની આસપાસ નમાજ માટે વૈકલ્પિક સ્થળ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ કેસની આગામી સુનાવણી હવે જુલાઈના ત્રીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

નમાજ માટે વૈકલ્પિક જગ્યાનો પ્રસ્તાવ
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે શુક્રવારની નમાજ ફરી શરૂ કરવાની માંગણી કરી હતી. તેના જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે શું ભોજશાલાની આસપાસ નમાજ માટે કોઈ ખુલ્લી જગ્યા ઉપલબ્ધ કરાવી શકાય.

ચીફ જસ્ટિસે મુસ્લિમ પક્ષને પણ પૂછ્યું કે, “જ્યાં સુધી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી શું આસપાસના વિસ્તારમાં નમાજ માટે વચગાળાની વ્યવસ્થા કરી શકાય?”

અગાઉ વસંત પંચમી દરમિયાન પણ અદાલતે બંને પક્ષોને ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી આપતી વચગાળાની વ્યવસ્થા કરી હતી. જોકે હવે હાઈકોર્ટનો અંતિમ ચુકાદો આવી ચૂક્યો હોવાથી પરિસ્થિતિ અલગ હોવાનું પણ કોર્ટે જણાવ્યું.

મુસ્લિમ પક્ષે 40 વર્ષ જૂની સ્થિતિ યથાવત રાખવાની માંગ કરી
મુસ્લિમ પક્ષના વકીલ હુઝેફા અહમદીએ દલીલ કરી કે છેલ્લા 40 વર્ષથી કોઈ અવરોધ વગર ચાલી રહેલી શુક્રવારની નમાજ પર હવે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયને ભોજશાલા પરિસરમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યો છે અને અદાલત સમક્ષ માંગ કરી કે 40 વર્ષથી ચાલી આવતી સ્થિતિ (Status Quo) ફરીથી યથાવત રાખવામાં આવે. દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસે જણાવ્યું કે આ મામલે તમામ પક્ષોને નોટિસ આપવામાં આવશે અને આગામી સુનાવણી માટે તારીખ નક્કી કરવામાં આવશે.

હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે આદેશ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું જેમાં લંડનના મ્યુઝિયમમાંથી દેવી સરસ્વતીની મૂર્તિ પરત લાવવાની વાત કરવામાં આવી હતી. બેન્ચમાં સામેલ જસ્ટિસ જોયમાલા બાગચીએ પ્રશ્ન કર્યો કે, “કોઈ બંધારણીય અદાલત (Constitutional Court) આ પ્રકારનો આદેશ કેવી રીતે આપી શકે?” આ મુદ્દે પણ સર્વોચ્ચ અદાલતે ગંભીર નોંધ લઈ આગામી સુનાવણી દરમિયાન સમગ્ર મામલાની વધુ વિગતવાર ચર્ચા કરવાનો સંકેત આપ્યો છે.

Subscribe

Latest stories

spot_img