ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે મંત્રી દ્વારા માંગવામાં આવેલી માફી સ્વીકારવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “તમે જાહેર જીવનના વ્યક્તિ છો. એક અનુભવી રાજકારણી છો. બોલતી વખતે તમારે તમારા શબ્દો વિશે વિચારવું જોઈએ. આપણે અહીં તમારો વીડિયો પ્રદર્શિત કરવો જોઈએ. સશસ્ત્ર દળો માટે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણે ખૂબ જ જવાબદાર બનવાની જરૂર છે. સોફિયા કુરેશીએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપી હતી.
સુપ્રીમ કોર્ટે મંત્રી વિજય શાહની માફી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે શું આ કાનૂની કાર્યવાહીથી બચવા માટે “મગરના આંસુ” હતા? સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે અમે તમારા વીડિયો જોયા, તમે અપશબ્દોનો ઉપયોગ કરવાની અણી પર હતા. તમે એક જાહેર વ્યક્તિ છો. તેઓ એક અનુભવી રાજકારણી છે. જનપ્રતિનિધિ હોવાને કારણે, તમારે દરેક શબ્દનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. સશસ્ત્ર દળો માટે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણે ખૂબ જ જવાબદાર બનવાની જરૂર છે.
SIT આ મામલાની તપાસ કરશે
આ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામેની એફઆઈઆરની તપાસ માટે ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની એસઆઈટીની રચના કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં આઈજી રેન્કના અધિકારીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું કે SITમાં SP રેન્કની એક મહિલા અધિકારી પણ હશે. આ SIT એ 28 મે સુધીમાં પોતાનો પહેલો રિપોર્ટ સુપરત કરવાનો રહેશે. આ SIT મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશી અંગે કરવામાં આવેલી ટિપ્પણીની તપાસ કરશે.