Thursday, Mar 26, 2026

કોલકાતામાં ઈસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની રથમાં લગાવાયા સુખોઈ જેટના ટાયર

2 Min Read

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઈસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકાળવામાં આવે છે. ખાસ વાત એ છે કે, રથમાં પહેલા જૂના બોઈંગ 747 ના ટાયરોનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે તેમાં ફાઇટર જેટ ‘સુખોઈ’ના ટાયર લગાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગત 48 વર્ષોથી આ રથને વિશાળ વિમાન બોઇંગ 747 ના ટાયર ચલાવી રહ્યા હતા.

રથમાં સુખોઈના ટાયર કેમ લગાવાયા?
ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધા રમન દાસે જણાવ્યું કે, કોલકાતાના ભગવાન જગન્નાથ રથમાં ગત 48 વર્ષોથી બોઇંગ 747ના ટાયરો લાગેલા હતા. 1977માં એક ભક્ત દ્વારા આ વિશાળ રથનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તે સમયે જૂના બોઇંગ 747ના ટાયરોને ખરીદીને તેમાં લગાવવામાં આવ્યા હતા. પરંતુ 2005 માં અમે જોયુ કે ટાયર હવે સારી સ્થિતિમાં નથી. માટે અમે તેને બદલવાનો નિર્ણય લીધો.

જ્યારે એમઆરએફન વરિષ્ઠ અધિકારીઓને વિશ્વાસ આવી ગયો કે આ ટાયર જગન્નાથના રથમાં લગાવવાના છે તો તેમણે સુખોઈના ટાયરો આપવા માટે સહેમત થયા. રાધા રમન દાસે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે જે સુખોઈ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે તેના જ ટાયરો તમાં લગાવવામાં આવશે. કાલે રાત્રે અમે તે ટાયરોનું ટ્રાયલ પણ કર્યું. અમે એવું કહી શકીએ કે કોલકાતાના રસ્તાઓ પર કાલે રાત્રે સુખોઇના ટાયરો દોડ્યા હતા. લગભગ 24 કિલોમીટરની આ યાત્રા નિકાળવામાં આવી હતી.

1972 થી દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરી રહ્યું છે
કોલકાતામાં ઇસ્કોન 1972 થી દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરી રહ્યું છે. આ એક ઐતિહાસિક ઉત્સવ છે જેમાં હજારો ભક્તો રસ્તાઓ પર ઉમટી પડે છે અને ભગવાનના રથને ખેંચવાનો લહાવો મેળવે છે. આ યાત્રામાં, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ આખા શહેરમાં ફરે છે, અને બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર એક વિશાળ મેળો પણ ભરાય છે. પરંતુ આ વખતે, લગભગ 50 વર્ષ પછી, રથયાત્રામાં કંઈક એવું બનવાનું છે જે પહેલાં ક્યારેય બન્યું નથી.

Share This Article