તુર્કીયેમાં ગત મોડી રાત્રે તુર્કીયેની ધરતી કંપી ઉઠી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ આપેલી માહિતી મુજબ 4.7 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતાGFZએ શરૂઆતમાં 5.33 જણાવી હતી. જોકે, પછીથી તીવ્રતા 4.7 હોવાનું જણાવવામાં આવ્યું. GFZ એ આપેલી માહિતી મુજબ ભૂકંપ સ્થાનિક સમય મુજબ 2:54 વાગ્યે આવ્યો હતો અને તેનું સેન્ટર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 હોવાનું જણાવ્યું છે. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ એમેટ શહેરથી 17 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં અને 7.4 કિલોમીટરની ઊંડાઈએ હતું.
કેટલું તીવ્ર, કેટલું જોખમી?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
- ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.