વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં જણાવ્યું હતું કે, પીએમ બન્યા બાદ આ મારી પડેલી સુરતની મુલાકાત છે. ગુજરાતે જેને ઘયો તેને દેશે વ્હાલથી અપનાવ્યો છે. હંમેશા આપ સૌનો ઋણી છું. જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સુરતની સ્પીરિટ યાદ ન આવે અને જોવા ન મળે એ કેવી રીતે બને. કામ અને દામ આ બે એવી વસ્તુ છે જે સુરતને વધુ વિશેષ બતાવે છે. એકબીજાને સપોર્ટ કરવો. સૌના વિકાસને સેલિબ્રેટ કરવો. એ આપણને સુરતના દરેક ખૂણામાં જોવા મળે છે.આજનો આ કાર્યક્રમ સુરતની આ સ્પિરીટ અને ભાવનાને આગળ વધારનારો છે. સુરત અનેક બાબતોમાં ગુજરાતનું અને દેશાનું પ્રમુખ રાહેર છે.
સુરત આજે ગરીબને વિચતને ભોજન અને પોષણની સુરક્ષા આપવાના મિશનમાં આગળ વધી રહ્યું છે.આગે જણાવ્યું કે જેનો જન્મ પણ નહોતો થયો તેવાના રાશનકાર્ડ બની જતા હતા. અમે પાંચ કરોડો બોગસ નામોને સિસ્ટમથી દૂર કર્યા. રાશન સાથે જોડાયેલી સંપૂર્ણ વ્યવસ્થાને આધારકાર્ડ સાથે લિંક કર્યા. અમે રાશનકાર્ડ સાથે જોડાયેલી એક મોટી સમસ્યાનો હલ કર્યો. અન્ય રાજ્યમાંથી આવેલા લોકો અહીં મોટી સંખ્યામાં કામ કરે છે. પહેલા એક જગ્યાનું રાશનકાર્ડ બીજી જગ્યાએ નહોતું ચાલતું. અમે આ સમસ્યાનું સમાધાન કરી વન નેશન વન રાશનકાર્ડ લાગુ કર્યું. હવે રાશનકાર્ડ ગમે ત્યાંનું હોય લાભાર્થીને તેનો ફાયદો દેશના દરેક શહેરમાં મળે છે.
સ્વચ્છતાની સ્પર્ધા થાય ત્યારે સુરત પહેલા અથવા બીજા નંબરે જ હોય- મોદીવડાપ્રધાને સ્વચ્છતા અભિયાનની વાત કરતા કહ્યું-જ્યારે દેશમાં સ્વચ્છતાની સ્પર્ધા થાય ત્યારે સુરત શહેર પ્રથમ અથવા બીજા નંબરે હોય છે. તેનો શ્રેય સુરતી લાલાઓને જાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેલવાસમાં નમો હોસ્પિટલના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 2500થી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. સેલવાસમાં વિકાસને ભેટો આપ્યા બાદ પીએમ મોદી સુરત પહોંચ્યા છે.
સુરતમાં તેઓ રોડ શો કર્યો હતો. સુરતમાં ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઈનનો શુભારામ કરાવ્યો હતો.સેલવાસમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સિંગાપોર એક જમાનામાં માછીમારોનું એક નાનકડું ગામ હતું. માછીમારીનું જ કામ હતું. ત્યાના લોકોના સંકલ્પ રશક્તિએ આ સિંગાપોર બનાવી દીધું. સંદાપ્રદેશનો દરેક નાગરીક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો છું.