Wednesday, Mar 11, 2026

મુંબઇના મલાડ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, ત્રણ શ્રમિકોના મોત

1 Min Read

મુંબઈના મલાડ ઇસ્ટમાં નિર્માણાધીન ઇમારત ધરાશાઈ થવાની ઘટના બની છે, જેમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યાર બે ઈજાગ્રસ્ત થયા છે. ચાર શ્રમિકો અંદર ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના ગોવિંદ નગર વિસ્તારમાં બની છે. હાલ ઘટનાસ્થળે પોલીસ સહિત કાફલો પહોંચી ગયો છે અને રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે.

મલાડમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ

મૃતકોની ઓળખ રામલાલ યાદવ (45) અને શ્યામ સિંહ (38) તરીકે થઈ છે. બંને મજૂરો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને મુંબઈમાં કામ કરતા હતા. ઘટના સમયે સ્થળ પર કુલ 10 મજૂરો કામ કરી રહ્યા હતા. અન્ય આઠ કામદારો સલામત છે અને તેમને સામાન્ય ઈજાઓ થઈ છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સલામતીના માપદંડોની અવગણના પર સવાલો ઉભા કર્યા છે.

ઘટના અંગે નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે, નિર્માણાધીન બિલ્ડિંગના સ્બેનો કેટલોક ભાગ તૂટી ગયો છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને નજીકની એમ. ડબલ્યુ. દેસાઈ હૉસ્પિટલમાં ખસેડાયા છે. ડૉક્ટરોએ બે શ્રમિકોના મોત થયા હોવાનું જણાવ્યું છે, જ્યારે બે શ્રમિકોની સારવાર ચાલી રહી છે.

Share This Article