Wednesday, Jan 28, 2026

સાબરકાંઠા વડાલી પાર્સલ બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો

2 Min Read

સાબરકાંઠાના વડાલીમાં ૨મેના રોજ થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ૨ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં પરિવારમાંથી પિતાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ દીકરીઓ ઇજાગ્રસ્ત છે.

આરોપીની પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો કે મરનાર ને આરોપીની પત્ની એક બીજા પરિચયમાં હતા અને એક જ ગામના હતા અને એ આરોપીને પસંદ ન હતુ . જેથી મારવા માટે જીલેટિન સ્ટીક અને ડીટોનેટરનો ઉપયોગ કરી ટેપ જેવુ ઈલેક્ટ્રોનિક ડીવાઈઝ બનાવ્યુ અને એક વાયર બહાર નિકાળ્યુ હતુ. જે વાયર પ્લગ માં નાખતા પ્રચંડ ઘડાકો થયો હતો જેમાં એકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ અન્ય ચાર ઘાયલ થયા હતા જેમાં સારવાર દરમિયાન બાળકીનુ પણ મોત નિપજ્યુ હતુ તો અન્ય ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે..

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી જયંતી વણઝારાએ પાર્સલમાં બ્લાસ્ટનો પ્લાન બનાવ્યા પછી પાર્સલ એક રિક્ષાચાલક પાસે ડિલિવર કરાવ્યું હતું. ત્યાર બાદ રિક્ષાચાલક ત્યાંથી નીકળી ગયો હતો અને મૃતક જીતુ વણઝારાએ પાર્સલ ખોલ્યા પછી તેનો પ્લગ ઈલેક્ટ્રિક બોર્ડમાં લગાવતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં જીતુભાઈ વણઝારા અને તેમની દીકરી ભૂમિકા વણઝારા મૃત્યુ પામ્યા હતા. આ કેસમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article