Sunday, Mar 15, 2026

મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન

1 Min Read

મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થઇ ગયું છે. ઝા મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ પણ હતા. ગુરુવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના બે પુત્રો છે. તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા. પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની બૌદ્ધિક જગતમાં સારી એવી ઓળખ છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

Image

પ્રભાત ઝાના નિધન પર મુખ્યમંત્રી ડો.મોહન યાદવ, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ યાદવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, પ્રદેશ સંગઠન મહાસચિવ હિતાનંદ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારી, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તમામ રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. પક્ષોએ શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રભાત ઝા મૂળ બિહારના હતા. તેમનો જન્મ 4 જૂન 1957ના રોજ બિહારના દરભંગાના હરિહરપુર ગામમાં થયો હતો. તે પરિવાર સાથે મધ્યપ્રદેશના ગ્વાલિયર આવ્યા હતા. પ્રાથમિક શિક્ષણ પછી પ્રભાત ઝાએ પીજીવી કોલેજ, ગ્વાલિયરમાંથી B.Sc, માધવ કૉલેજમાંથી MA અને MLB કૉલેજમાંથી LLBની ડિગ્રી લીધી.

આ પણ વાંચો :-

Share This Article