પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા સુરક્ષાને લઈને લેવામાં આવી રહેલા સતત આકરા પગલાંથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)માં નવા સભ્યોની નિમણૂક કરી અને આલોક જોશીને અધ્યક્ષ બનાવ્યા. આ ઘટનાક્રમ વચ્ચે, પાકિસ્તાને પણ પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)માં મોટો ફેરફાર કર્યો છે.
એકસપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, પાકિસ્તાનની ખતરનાક ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (ISI)ના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલિકને સપ્ટેમ્બર 2024માં ISIના વડા બનાવવામાં આવ્યા હતા અને હવે તેમને NSAનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ISIના પ્રમુખ બનતા પહેલાં અસીમ મલિકે પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવાઓ આપી હતી. જ્યાં તેમણે કાનૂની અને શિસ્ત સંબંધિત બાબતો સહિત લશ્કરી વહીવટી મુદ્દાઓની દેખરેખ રાખી હતી. એક્સપ્રેસ ટ્રિબ્યુનના જણાવ્યા અનુસાર, એડજ્યુટન્ટ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં કેટલીક મોટી ઘટનાઓ બની હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદ તેમના સમર્થકો અને પાર્ટી કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોનો સમાવેશ થાય છે.
પોતાના લશ્કરી કારકિર્દી દરમિયાન અસીમ મલિકે બલૂચિસ્તાન અને દક્ષિણ વઝીરિસ્તાનમાં પણ ડિવિઝનની કમાન સંભાળી હતી. આ બંને વિસ્તારો પાકિસ્તાન માટે ભારે સુરક્ષા પડકારો ઊભા કરતા રહ્યા છે. પાકિસ્તાન સરકારે મલિકની નિમણૂક એવા સમયે કરી છે જ્યારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા છે. તાજેતરના આકરા પગલાંની વાત કરીએ તો, ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ સાથે જ પાકિસ્તાનના ઘણા જાણીતા કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ચેનલોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના લોકપ્રિય કલાકારો હાનિયા આમિર, માહિરા ખાન અને અલી ઝફર ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ હવે સરકાર દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ચેનલોને ભારતમાં નિલંબિત કરવામાં આવ્યા છે.
ISI ના વડા બનતા પહેલા આસીમ મલિક પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે કાનૂની અને શિસ્તબદ્ધ બાબતો સહિત લશ્કરી વહીવટી બાબતોનું નિરીક્ષણ કરતા હતા. અહેવાલ અનુસાર, એડજ્યુટન્ટ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં કેટલીક મોટી ઘટનાઓ પણ બની હતી, જેમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદ તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે.