HomeGujarat"મિચ્છામી દુક્કડમ" ક્ષમા માંગવા માટે નમ્રતા જોઇએ અને ક્ષમા આપવા વિશાળ હૃદય...

“મિચ્છામી દુક્કડમ” ક્ષમા માંગવા માટે નમ્રતા જોઇએ અને ક્ષમા આપવા વિશાળ હૃદય જોઇએ-શ્રેણિક વિદાણી

Date:

Related stories

ટ્રોફી ન સ્વીકાર્યા બાદ શું હતું મોહસિન નકવીનું રિએક્શન? BCCI અધિકારીએ કર્યો મોટો ખુલાસો

ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો,...

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...
spot_img

આજે સંવત્સરી એટલે મૈત્રીનું પર્વ. પર્યુષણ એ મૈત્રીનું પર્વ છે. જગતના સઘળા જીવો મારા મિત્રો છે અને તેઓએ મન, વચન, કાયાથી જરાપણ દુભાવ્યા હોય તો તેમની ક્ષમા માંગવાની વિરલ અને અજોડ પરંપરા જૈનોમાં છે. જે ક્ષમા માંગે છે અને જે ક્ષમા આપે છે તે જ આરાધક છે.

“મિચ્છામી દુક્કડમ” આ શબ્દો જૈન સંસ્કૃતિની અદભૂત આધ્યાત્મિક સંપત્તિ છે. તેનો ભાવ છે કે જાણતા કે અજાણતા, મન-વચન-કાયા થી કોઈને દુ:ખ પહોંચાડયું હોય તો ક્ષમા માંગુ છુ. અને મારા પ્રત્યે કોઈએ ભૂલ કરી હોય તો હું પણ તેને ક્ષમા કરું છું. ક્ષમા માંગવા માટે નમ્રતા જોઈએ અને ક્ષમા કરવા માટે વિશાળ હૃદય જોઈએ.

ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમાં માંગવી કે ક્ષમા આપવી તેમાં બહુ વીરતા બતાવવી પડે છે. કોઈને મારપીટ કરી દેવી કે ગાળો આપવી કે ગુસ્સો કરવામાં જેટલી બહાદુરીની જરૂર છે તેના કરતાં કઈ ગણી બહાદુરી શાંત રહેવામાં, ક્ષમા આપવામાં કે સમતા રાખવામાં જોઈએ છે. પર્યુષણ પર્વનું એક જ એલાન છે. સંઘર્ષ નહીં પણ સમાધાન. આજે સમગ્ર વિશ્વમાં મિત્રતાનો ભાવ ઘટીને શત્રુતાનો ભાવ વધી રહ્યો છે. હરીફાઈ, અસંતોષ અને ઈર્ષ્યા, મહત્વકાંક્ષાના સંયોજનથી નાનકડું નિમિત્ત પણ વેરનું વાવાઝોડું ઉત્પન્ન કરી દે છે. વ્યક્તિ-વ્યક્તિ, કુટુંબ-કુટુંબ કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વર્ષોના વર્ષો સુધી વેરની આગ સળગ્યા કરે છે, તેને કોઈ શાંત કરી શકતું નથી. સિવાય કે પ્રેમના પાણીનો છંટકાવ થાય.

દુનિયા આજે યુદ્ધના ઉંબરે ઊભી છે. પરસ્પરનો વેર ભાવ ઓગાળી મૈત્રી ભાવ કેળવવાથી જ યુદ્ધની આગમાંથી ઉગરી શકાશે.

આજે આખું વિશ્વ યુધ્ધના ઊંબરે આવીને ઉભું છે પરસ્પરનો વેર ભાવ ઓગાળી મૈત્રીભાવ જ વિશ્વને યુધ્ધની આર્ગમાંથી ઉગારી શકશે

Subscribe

Latest stories

spot_img