UPSC પરીક્ષાની કોચિંગ આપનારા અવધ ઓઝા આમ આદમી પાર્ટી (AAP)માં સામેલ થયા છે. અવધ ઓઝાએ રાજકીય ઇનિંગ શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હાજરીમાં અવધ ઓઝાએ AAPનું સભ્ય પદ મેળવ્યું હતું.
અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ પણ ફાઇનલ થઇ ગઇ છે.ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા પ્રયાગરાજથી લોકસભાની ચૂંટણી પણ લડવા માંગતા હતા.જોકે, ભાજપ સાથે તેમની વાત ફાઇનલ થઇ શકી નહતી.
UPSCની તૈયારી કરાવતા જાણીતા શિક્ષક અવધ ખાસ તો ઓઝા સર તરીકે જાણીતા છે, તે એક શિક્ષક તેમજ મોટિવેશનલ સ્પીકર પણ છે. સોશિયલ મીડિયા પર અને યુવાનોમાં તેમની સારી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીને આશા છે કે તેમના પાર્ટીમાં જોડાવાથી ચૂંટણીમાં મોટો ફાયદો થશે. અવધ ઓઝાએ અનેક વખતે અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા.
આ પણ વાંચો :-