ભારતમાં સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન સ્ટ્રોબેરીની સિઝન ખીલી ઉઠે છે. આ દિવસોમાં બજારમાં ઠેર-ઠેર લાલચટક અને તાજી સ્ટ્રોબેરી જોવા મળે છે. માત્ર દેખાવમાં સુંદર જ નહીં, પણ પોષક તત્વોથી ભરપૂર આ ફળને જો યોગ્ય રીતે ડાયટમાં સામેલ કરવામાં આવે, તો તે સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે.
દિવસમાં કેટલી સ્ટ્રોબેરી ખાવી જોઈએ?
આમ તો સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, પરંતુ કોઈ પણ વસ્તુની અતિરેક નુકસાનકારક હોય છે. એજ રીતે સ્ટ્રોબેરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 4 થી 8 સ્ટ્રોબેરી ખાવી જોઈએ. જો મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો જ તેના પોઝિટિવ પરિણામો મળે છે, અન્યથા તે પાચન કે અન્ય રીતે શરીર પર નકારાત્મક અસર પણ કરી શકે છે.
સ્ટ્રોબેરી ખાવાના ફાયદા
સ્ટ્રોબેરી વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ફળ એક સુરક્ષિત અને ગુણકારી વિકલ્પ માનવામાં આવે છે. આ ઉપરાંત, તેમાં ઓછી કેલરી અને વધુ ફાઈબર હોવાથી વજન ઘટાડવા માંગતા લોકો માટે તે શ્રેષ્ઠ ફળ છે. લોહીની ઉણપ એટલે કે એનિમિયાના જોખમને ઓછું કરવામાં પણ સ્ટ્રોબેરી મહત્વની ભૂમિકા ભજવે છે.
શું તમે જાણો છો કે નાનકડી દેખાતી સ્ટ્રોબેરી તમારા હૃદયને જીવલેણ બીમારીઓથી બચાવી શકે છે? બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવવા માટે સ્ટ્રોબેરીનું સેવન અત્યંત રામબાણ ઈલાજ છે. તે હૃદય સંબંધિત ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે. આ સાથે જ મગજની કાર્યક્ષમતા વધારવા અને યાદશક્તિમાં સુધારો કરવા માટે પણ આ પોષક તત્વોથી સભર ફળ ખૂબ જ અસરકારક સાબિત થયું છે.