HomeNationalRBIએ બ્રિટનની સેન્ટ્રલ બેંકમાંથી ૧૦૦ ટન સોનું પાછું લાવવામાં આવ્યું

RBIએ બ્રિટનની સેન્ટ્રલ બેંકમાંથી ૧૦૦ ટન સોનું પાછું લાવવામાં આવ્યું

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બ્રિટનથી દેશમાં ૧૦૦ ટનથી વધુ સોનું લાવવામાં આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષોથી જમા કરાયેલું સોનું તેના ખાતામાં મેળવ્યું છે. ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે. હવે ભારતમાં સંજોગો બદલાઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે દેશનું સોનું બહાર રાખવાના સમાચાર સાંભળવા મળતા હતા, પરંતુ હવે ભારત પોતાનું સોનું પાછું લાવી રહ્યું છે.

૧૦૦ ટન સોનું ભારતમાં લાવવું એ એક મુશ્કેલ લોજિસ્ટિક ટાસ્ક હતો, જેના માટે મહિનાઓથી આયોજન કરવામાં આવ્યું હતું સાથે, આયોજનના અમલની ચોક્કસાઈ કરવામાં આવી હતી. જેન માટે નાણા મંત્રાલય, RBI અને સ્થાનિક તંત્ર સહિત સરકારના અન્ય ઘણા વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું.

એક સૂત્રએ જણાવ્યું હતું. પરંતુ વિદેશથી ૧૦૦ ટન સોનું લાવવું એ એક મોટી લોજિસ્ટિકલ કવાયત હતી. માર્ચના અંતમાં દેશમાં હાજર સોનાના સ્ટોકનો આ લગભગ ચોથો ભાગ છે. એટલા માટે તેને મહિનાઓના આયોજન અને ચોક્કસ અમલની જરૂર હતી. આ માટે નાણા મંત્રાલય, આરબીઆઈ અને કેટલીક સરકારી સંસ્થાઓ અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે સંકલનની જરૂર છે.

બ્રિટનની બેંક ઓફ ઈંગ્લેન્ડ પરંપરાગત રીતે ઘણી કેન્દ્રીય બેંકો માટે સોનાનો ભંડાર છે. ભારતની આઝાદી પહેલા લંડનમાં સોનાનો કેટલોક જથ્થો સંગ્રહિત છે કારણ કે આઝાદી પહેલા બ્રિટને ભારતનું સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડમાં રાખ્યું હતું. તેથી, આઝાદી પછી પણ ભારતે લંડનમાં થોડું સોનું રાખ્યું હતું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img