કપ્રિય યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા વિવાદોમાં ફસાયેલા છે. સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં જવું અને અભદ્ર મજાક કરવી તેના માટે ભારે પડ્યું. મામલો એટલો વધી ગયો કે ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ. આની વિરુદ્ધ યુટ્યુબરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર મંગળવારે સુનાવણી યોજાઈ હતી.
દેશભરમાં તેમની સામે દાખલ કરાયેલી તમામ FIR ને એક સાથે જોડવાની માંગ કરવામાં આવી હતી. રણવીર યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના એક એપિસોડમાં અલ્હાબાદિયા ગયો હતો અને આ દરમિયાન તેણે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. જેનાથી દેશમાં હોબાળો મચી ગયો હતો. તેમના પર અશ્લીલ કોમેડી કરવાનો આરોપ લગાવીને FIR દાખલ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાને પૂછ્યું, ‘ફક્ત એટલા માટે કે તમે પ્રખ્યાત થયા છો, શું તમારી પાસે કંઈપણ કહેવાનું લાઇસન્સ છે?’ માતાપિતા વિશે અશ્લીલ વાતો કહી. આ બતાવે છે કે તેના મનમાં કંઈક ગંદકી છે. આ દરમિયાન રણવીર અલ્હાબાદના વકીલ અભિનવ ચંદ્રચુડે કહ્યું કે, અરજદારને ધમકીઓ મળી રહી છે. કાપેલી જીભ લાવનાર વ્યક્તિને ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે રણવીરની ધરપકડ પર વચગાળાની રોક લગાવી રાહત તો આપી પરંતુ આકરી ઝાટકણી પણ કાઢી હતી. તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. તેમજ આ પ્રકારના શો રજૂ ન કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મગજની ગંદકી અને વિકૃત વિચારસરણી છે. તમારી આ હરકતોના કારણે તમારા માતા-પિતા અને બહેનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે.
અલ્હાબાદિયાને મળી રહેલી ધમકીઓ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે ચીપ પબ્લિસિટી માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરશો, તો અન્ય લોકો પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરશે અને જીભ કાપવાની ધમકીઓ આપશે. જસ્ટિસ એમ કોટિશ્વર સિંહે જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, જો પોલીસ તમને પૂછપરછ માટે બોલાવે છે તો તે તમને સુરક્ષા પણ આપશે. જેથી તમારે ધમકીઓથી ડરવાની જરૂર નથી.