રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટે આત્મહત્યા કરી છે. કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસથી કંટાળી તબીબે આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે.
ડોક્ટર જય પટેલનાં માતા-પિતા તીર્થયાત્રામાં ગયાં છે અને ડો.જય પટેલ આજે સવારથી ઘરે હતા. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આ બનાવની પહેલી જાણ માતા-પિતાને નહીં, પણ જીજાજીને કરજો. હાલ પોલીસે સુસાઇડ નોટ કબેજ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આજે સવારથી ડોક્ટર જય પટેલ પ્લાન્ડ સર્જરીમાં એનેસ્થેસિયા જરૂરી હોવાથી હાજર ન રહેતાં સિનર્જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોન કરી હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા, જોકે તેમનો ફોન રિસીવ થતો નહોતો. થોડીવાર બાદ કંઈક અજુગતું લાગતાં સ્ટાફ દ્વારા અન્ય મુખ્ય ડોક્ટરને જાણ કરવામાં આવી હતી, જેથી તેમણે સ્ટાફને ઘરે જોવા જવા જાણ કરી હતી. ત્યારબાદ સ્ટાફ જય પટેલના ઘરે પહોંચતાં ડોક્ટર જય પટેલે એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઇ આપઘાત કરી લીધો હોવાનું માલૂમ થયું હતું.
આ પણ વાંચો :-