Thursday, Oct 23, 2025

રાજકોટઃ ઇનોવા કાર પલટી જતાં R. K. યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીના મોત

1 Min Read

રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે કારનો ગંભીર અકસ્માત થયો છે. ઇનોવા કાર પલટી જતાં રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં છે. મૃતકમાં આંધ્રપ્રદેશના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદનો સમાવેશ થાય છે. ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની છે. વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા, ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો છે. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા છે. હાલ તો ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

Share This Article