ગુજરાતભરમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગે છે. બે દિવસથી છુટાછવાયા વરસાદ પડી રહયો છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે. અંબાલાલ પટેલે રાજયમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતા કેવો વરસાદ પડશે તે તે અંગેની આગાહી પણ જણાવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, થંડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે.

હવામન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમા માત્ર 13 તાલુકામાં અડધાથી વધુ અને એક ઈંચ સુધી વરસાદ પડયો હતો. એક ઈંચથી વધારે વરસાદ ગુજરાતના એકપણ તાલુકામાં પડયો નથી. એક ઈંચ વરસાદ છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં પડયો હતો. આજે વહેલી સવારનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે. ડાંગ અને નવસારીમાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 7 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 8 ઓગસ્ટના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો :-