લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ તેઓ મળવાના છે. અમદાવાદ ખાતે પીડિત પરિવારોને રાહુલ ગાંધી મળશે.

આ દરમિયાન બીજેપી પ્રદેશ કારોબારીમાં રાહુલ ગાંધીની ચેલેન્જની નોંધ લેવામાં આવી છે. સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી હતી કે ગુજરાતમાં ભાજપને હરાવીશું. પ્રદેશ કારોબારીમાં સંગઠન મહા મંત્રી રત્નાકરે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આપણે બધાએ એક રહેવાનું છે. વિપક્ષમાં સેનાપતિઓની સંખ્યા વધુ છે.
આ ઉપરાંત તેમણે કહ્યું રાજ્યનું વૈચારિક લડાઈ ને ગુંડાગીરી સુધી ન લઈ જવાય. પહેલીવાર વાર એવું બન્યું કે પક્ષની ઓફિસ પર તોડફોડ કરવામાં આવી. ભાજપના ગુંડાઓએ અસ્મિતાને કલંકિત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દીવાલ બની રક્ષણ કર્યુ, વિના મંજૂરી એ ગુંડા આવ્યા, એમને ઉઠાવ્યા હોત તો ઘર્ષણ ન થયું હોત. કેટલાક પોલીસ અધિકારીઓનો દુરુપયોગ થયો. જો ભવિષ્યમાં આવું કોઈ અધિકારી કરશે, માફ નહી કરીએ. રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળે તેવી લોકોને અપીલ છે.
આ પણ વાંચો :-