Saturday, Sep 13, 2025

લોકસભામાં રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર

2 Min Read

લોકસભામાં સંવિધાનની 75મી વર્ષગાંઠ પર ચર્ચા દરમિયાન, શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુપી, અદાણી અને એકલવ્યના અંગૂઠા કાપવાના શાસનનો ઉલ્લેખ કર્યો. લોકસભામાં બંધારણ પરની ચર્ચાના પ્રથમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સંવિધાન પર બોલતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વીર સાવરકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે આપણે બંધારણને જોઈએ છીએ અને તેને ખોલીએ છીએ ત્યારે આપણને ડો. આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના અવાજો અને વિચારો સાંભળવા મળે છે. આ બધા વિચારો ક્યાંથી આવ્યા? તે બધા વિચારો આ દેશની જૂની પરંપરામાંથી આવ્યા છે.

લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “જ્યારે તમે બંધારણ બચાવવાની વાત કરો છો, ત્યારે તમે તમારા નેતા સાવરકરની મજાક ઉડાવો છો. જે રીતે દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપી નાખ્યો હતો, તેવી જ રીતે તમે યુવાનોની મજાક ઉડાવો છો. ભારતના લોકોનો અંગૂઠો કાપી નાખે છે.”

સાવરકરને ટાંકીને રાહુલ ગાંધીએ કહ્યું કે, “તેમણે કહ્યું હતું કે ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. મનુસ્મૃતિ એ શાસ્ત્ર છે જે વેદ પછી આપણા હિન્દુ રાષ્ટ્ર માટે સૌથી વધુ પૂજનીય છે અને જેના કારણે આપણા પ્રાચીન સમય આપણી સંસ્કૃતિ, રિવાજો, વિચારો અને વર્તનનો આધાર બની ગયો છે. આજે મનુસ્મૃતિનો કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”

રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતા કહ્યું હતું, કે ‘અભય મુદ્રામાં હુનરના કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે (સરકાર) દેશનો અંગૂઠો કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપરલીક કરાવી, ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો.’

આ પણ વાંચો :-

Share This Article