Sunday, Oct 26, 2025

સાઇકો કિલર વિપુલ પરમારનું પોસ્ટમોર્ટમ કરાયું, 6 ગોળીઓ શરીર આરપાર નીકળી ગઈ

3 Min Read

ગાંધીનગર નજીકના અંબાપુર નર્મદા કેનાલ પાસે થયેલા લૂંટ વિથ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલા આરોપીનું ગઈકાલે સાંજે ગાંધીનગર પોલીસના હાથે એન્કાઉન્ટર થયુ હતું.આ શખસની ધરપકડ બાદ ગાંધીનગર એલસીબીની ટીમ ઘટના સ્થળનું રિકન્ટ્રક્શન અને પંચનામું કરવા માટે તેને નર્મદા કેનાલ લઈ ગઈ હતી ત્યારે તેણે ગાડીમાં બેઠેલા પોલીસ સબ ઇન્સપેક્ટરનું હથિયાર ઝુંટવી પોલીસ પર ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં તેનું ઘટના સ્થળે જમોત નિપજ્યુ હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ દરમ્યાન વિપુલના શરીરમાં છ ઠેકાણા પર બુલેટની એન્ટ્રી અને એક્ઝિટના નિશાન જોવા મળ્યા હતા પણ શરીરમાં એકેય બુલેટ જોવા મળી નહોતી. અંબાપુર કેનાલ પાસે બુધવારે સાઈકો કિલર વિપુલનું એન્કાઉંટર થયું હતું. ગુરુવારે મૃતકનું પીએમ કરતા 6 ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું.

હત્યારાના પરિજનો દ્વારા આ બાબતે સારુ થયું હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અમારે તેની સાથે કોઈ સંબંધ નથી. જેથી અમે તેનો મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર નથી. પરંત છેલ્લે ચર્ચા અને સમજાવટ બાદ મૃતકના ભાઈઓએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા મુક્તિધામ ખાતે તેની અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું.

વિપુલને પીઠ, છાતી, પેટ, સાથળ અને હાથ પર 6 ગોળી વાગી હતી
એન્કાઉન્ટરમાં ઠાર થયેલા હત્યારાનું ગુરુવારે બપોરે 1.30 કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. જે સાંજે 6.30 વાગ્યે પૂરુ થયું હતું. વિપુલને છ ગોળી વાગી હતી, જેમાં છાતીમાં 2, પેટમાં 1, સાથળમાં 2, અને જમણાં બાવડાને ચીરી 1 ગોળી નીકળી ગઈ હતી.

પોલીસના હાથે ઠાર મરાયેલા સાઈકો કિલર વિપુલ પરમારને પોલીસની 6 ગોળીઓ વાગી હતી. આ બધી ગોળી તેના શરીરની આરપાર નીકળી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ દરમ્યાન વિપુલના શરીરમાં છ ઠેકાણા પર બુલેટની એન્ટ્રી અને એક્ઝિટના નિશાન જોવા મળ્યા હતા પણ શરીરમાં એકેય બુલેટ જોવા મળી નહોતી. અંબાપુર કેનાલ પાસે બુધવારે સાઈકો કિલર વિપુલનું એન્કાઉંટર થયું હતું. ગુરુવારે મૃતકનું પીએમ કરતા 6 ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું.

હત્યારાના પરિજનો દ્વારા આ બાબતે સારુ થયું હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અમારે તેની સાથે કોઈ સંબંધ નથી. જેથી અમે તેનો મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર નથી. પરંત છેલ્લે ચર્ચા અને સમજાવટ બાદ મૃતકના ભાઈઓએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા મુક્તિધામ ખાતે તેની અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું.

વિપુલને પીઠ, છાતી, પેટ, સાથળ અને હાથ પર 6 ગોળી વાગી હતી
એન્કાઉન્ટરમાં ઠાર થયેલા હત્યારાનું ગુરુવારે બપોરે 1.30 કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. જે સાંજે 6.30 વાગ્યે પૂરુ થયું હતું. વિપુલને છ ગોળી વાગી હતી, જેમાં છાતીમાં 2, પેટમાં 1, સાથળમાં 2, અને જમણાં બાવડાને ચીરી 1 ગોળી નીકળી ગઈ હતી.

Share This Article