પતંજલિ આયુર્વેદ તરફથી પોતાની દવા કોરોનિલને કોરોના સામે લડનારી ઔષધિ ગણાવવાના પ્રચાર પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. યોગ ગુરૂ બાબા રામદેવ સુનાવણીમાં ભાગ લેવા માટે કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં આવ્યા પહેલા જ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ સાર્વજનિક માફીનામું જાહેર કર્યું છે. માફીનામામાં કહેવામાં આવ્યું કે ખોટી જાહેરાત આપવા જેવી ભૂલ ભવિષ્યમાં ફરી નહીં કરવામાં આવે.