શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે શુક્રવારે તારીખની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી મહિનાઓથી ચાલી રહેલી વર્તમાન વડા પ્રધાન રાનિલ વિક્રમસિંધેની મુદ્દત વધારવા માટે ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે એ અટકળોનો અંત આવ્યો હતો. શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી ગેઝેટ નંબર ૨૩૯૪/૫૧માં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ ૩૧(૩) અનુસાર ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે થશે, જ્યારે નામાંકન ૧૫ ઓગસ્ટે સ્વીકારવામાં આવશે.

ચૂંટણીની ઘોષણાથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો બાકીનો કાર્યકાળ સમાપ્ત થઇ જશે, જેમની ૨૦૨૨ના મધ્યમાં એક લોકપ્રિય જાહેર બળવામાં હકાલપટ્ટી કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૯માં જ્યારે છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી ત્યારે રાજપક્ષેએ લગભગ ૭ મિલિયન મતો સાથે વિક્રમી જીત મેળવી હતી.
ત્યારબાદ વિક્રમસિંધે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ) પાસેથી બેલ-આઉટ સુવિધાનો લાભ ઉઠાવીને નાદાર અર્થતંત્રને પુનર્જીવિત કરવાનું મુશ્કેલ કાર્ય હાથ ધર્યું હતું. ભારતે ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકગાળામાં શ્રીલંકાને ૪ અબજ અમેરિકન ડોલરની સહાય કરી હતી. જેનાથી ચૂકવણીના સંતુલન સંકટ દરમિયાન ખાદ્યપદાર્થો અને જરૂરી વસ્તુઓની આયાત માટે ચૂકવણી કરવામાં આવી હતી. વિક્રમસિંધ પ્રમુખ તરીકે તેમની વાપસી માટે તેઓ ચૂંટણી લડે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો :-