સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. 1983 બેચના IAS અધિકારી પ્રીતિ સુદનને નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક આવતીકાલે 1 ઓગસ્ટ, 2024થી લાગુ થશે. તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિવાદ દરમિયાન પૂર્વ UPSC અધ્યક્ષ મનોજ સોનીના રાજીનામા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું. તેમણે તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધું હતું. મનોજ સોનીએ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું હતું.

પ્રીતિ સુદન પૂર્વ આરોગ્ય સચિવ રહી ચૂક્યાં છે. તે 2022થી UPSCના સભ્ય છે. પ્રીતિ સુદન આંધ્રપ્રદેશ કેડરના 1983 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020માં સમાપ્ત થયો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં કામ કરવા ઉપરાંત તેમણે સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. તેઓ તેમના કેડર રાજ્ય આંધ્ર પ્રદેશમાં નાણાં, આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, પ્રવાસન અને કૃષિનો હવાલો સંભાળતાં હતાં.
પ્રીતિ સુદન વિશ્વ બેંક માટે સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. મળતી માહિતી અનુસાર, પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’ શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો.
પ્રીતિએ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. આ સાથે તેમની કેડરએ આંધ્રપ્રદેશમાં ફાઇનાન્સ, પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટુરીઝમ અને એગ્રીકલ્ચર માટે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે વર્લ્ડ બેન્ક માટે સલાહકારની ભૂમિકા પણ ભજવી છે.
માહિતી અનુસાર, પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’ શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો.
આ પણ વાંચો :-