Thursday, Oct 30, 2025

અમરેલીના મોટા મુંજિયાસરની ઘટના અંગે પ્રફુલ પાનસેરિયાનું નિવેદન, જાણો શું કહ્યું ?

2 Min Read

અમરેલી જિલ્લાના બગસરામાં મોટા મંજિયાસરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથમાં બ્લેડ વડે કાપા મારવામાં આવ્યા હતા. જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. બાળકોએ આમ કેમ કર્યુ તે હજી સુધી બહાર આવ્યું નથી. બનાવ અંગે સરપંચ દ્વારા ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છેકે, આ 8 દિવસ પડેલાનો બનાવ છે. 40 નહીં પરંતુ 10થી 12 બાળકો છે. આ આપણા માટે ટેડ સિગ્નલ સમાન છે. એક ચિંતાનો વિષય છે. મે રિપોર્ટ મગાવ્યો છે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છેકે, મે જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે. ગેમમાં જેમ ચેલેન્જ આપે. કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કુદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડ હોય એ હારી જાય તો સામ-સામે માટે પોતાના રીતે આમાં કોઈ ડુમલો થયો છે કે બહારના લોકો એમને માર્યુ નથી. વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઈવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે. આપણા માટે આ ડેન્જરસ વાત છે.

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચાર મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ. એની ખૂબ તજજ્ઞો સાથેની મીટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઈન્સ પણ નક્કી કરવાના છીએ. આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માણસ પર જ્યારે આવી ડેન્જરસ આવી ક્રૂરતાથી પોતાના શરીર ઉપર આવું કરતા હોય નાના બાળકો તો એ એક હિંસાત્મક વાત છે.

Share This Article