Thursday, Feb 19, 2026

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું, માયાવતીએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત

2 Min Read

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકારણ અત્યારથી ગરમાયું છે. જેમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું આ ચૂંટણી માટે આંબેડરવાદી લોકો દેશમાં સક્રિય થાય. તેમજ દિલ્હીમાં ટાઈપ-8 બંગલાની ફાળવણી પાછળ લખનઉ ગેસ્ટ હાઉસ કાંડને જવાબદાર ગણાવ્યો છે.

અમને સત્તાથી દૂર રાખવા માટે વધુ પ્રયાસો કરાશે
માયાવતીએ બુધવારે લખનઉમાં જાહેરાત કરી હતી કે તેઓ યુપી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. તેમણે કહ્યું કે લોકશાહી અને બંધારણને મજબૂત કરવાને બદલે, આજકાલ સફળતાની ચાવી તરીકે એઆઇ વિશે ચર્ચાઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે જેમ જેમ યુપીની ચૂંટણી નજીક આવશે. તેમ તેમ અમારા વિરોધીઓ અમને સત્તાથી દૂર રાખવા માટે વધુ પ્રયાસો કરશે. તેઓ અમારી વિરુદ્ધ કાવતરું ઘડશે. તેથી સમગ્ર દેશના આંબેડકરવાદીઓએ ડૉ. આંબેડકરના આત્મસન્માન માટેના આંદોલનને મજબૂત બનાવવા માટે કામ કરતા રહેવું જોઈએ.

ચૂંટણી ગઠબંધનમાં લડવાની બાબત સંપૂર્ણપણે પાયાવિહોણી
માયાવતીએ જણાવ્યું કે, બસપા યુપી વિધાનસભા ચૂંટણી ગઠબંધનમાં લડવાની બાબત સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે. બસપા પોતાના દમ પર ચૂંટણી લડશે. બસપાના સભ્યો સારી રીતે જાણે છે કે કોંગ્રેસ, સપા અને ભાજપ જેવા પક્ષો સંકુચિત અને આંબેડકર વિરોધી વિચારો ધરાવે છે. તેઓ ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા ષડયંત્ર રચે છે. તેમજ કાર્યકરોને અપીલ કરી કે વર્ષ2007 ની જેમ એકલા ચૂંટણી લડો અને પૂર્ણ બહુમતી સાથે બસપા સરકાર બનાવો.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટાઇપ-8 બંગલો ફાળવવામાં આવ્યો
માયાવતીએ દિલ્હીમાં તેમને ટાઇપ-8 બંગલો ફાળવવામાં અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે મારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બંગલો ફાળવવામાં આવ્યો છે. મેં તેનો સ્વીકાર કર્યો છે. જોકે, કેટલાક લોકો તેના વિશે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. લોકોએ આ અંગે પણ સાવધ રહેવાની જરૂર છે.

Share This Article