પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ અને સિંગાપુરની ત્રણ દિવસની યાત્રા પર રવાના થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાના નિમંત્રણ પર 3 અને 4 સપ્ટેમ્બરના રોજ બ્રુનેઈની મુલાકાત લેશે. ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની પ્રથમ દ્વીપક્ષીય યાત્રા રહેશે. પીએમ મોદીએ વિદેશ યાત્રા પર જતા પહેલા ટ્વિટ પણ કર્યું હતું.
બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘આગામી બે દિવસમાં હું બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત લઈશ. આ દેશોમાં તમામ કાર્યક્રમો દરમિયાન ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત-બ્રુનેઈ દારુસલામના રાજદ્વારી સંબંધોએ 40 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કર્યા છે. હું મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાને મળવા માટે ઉત્સુક છું.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘સિંગાપોરમાં હું રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને એમેરિટસ વરિષ્ઠ પ્રધાન ગોહ ચોક ટોંગ સાથે વાતચીત કરીશ. અમે મુખ્ય ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા રાખીએ છીએ.’ બ્રુનેઈ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. પીએમ મોદીની આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ ટેકનોલોજી, આરોગ્ય સહયોગ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિનું આદાનપ્રદાનને મજબૂત કરશે.
PM મોદીની બ્રુનેઈની મુલાકાત પર, વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારે કહ્યું, ‘PM બ્રુનેઈ સાથેના સંબંધો અને સહયોગના તમામ પાસાઓ પર દ્વિપક્ષીય રીતે ચર્ચા કરશે. બ્રુનેઈ સાથે અમારા ખૂબ જ ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. બ્રુનેઈમાં ભારતીયોની સંખ્યા લગભગ 14,000 છે અને તેમાં બ્રુનેઈના ડોકટરો અને શિક્ષકોનો સમાવેશ થાય છે, જેમણે બ્રુનેઈના અર્થતંત્ર અને સમાજમાં તેમના યોગદાન માટે સદ્ભાવના અને સન્માન મેળવ્યા છે. “બ્રુનેઇ 2012 થી 2015 સુધી ASEAN માં અમારું દેશ સંયોજક હતું અને ASEAN સાથેના અમારા આગળના જોડાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને નિભાવવાનું ચાલુ રાખશે.”
આ પણ વાંચો :-